Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

લેવા પટેલના ભામાશા નરેશભાઈ સાવરકુંડલાની મુલાકાતે

સાવરકુંડલા કાગવડ ખોડલ ધામ ખોડિયાર માતાજીના મંદિરના પાંચ વર્ષ પૂર્ણ થતાં હોવાથી તે અંગેનો  ઉત્સવની ઉજવણી કરવાના હેતુ થી ખોડલ ધામ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને લેવા પટેલ સમાજના દાનવીર અને ભામાશા નરેશભાઈ પટેલ સાવરકુંડલા ખાતે ખોડલ ધામ સમાધાન કમિટીની ઓફિસની મુલાકાત લીધી હતી સમાધાન કમિટીના અગ્રણી દેવચંદભાઈ કપોપર અને કરશનભાઈ ડોબરીયાએ સ્વાગત કરેલ આ તકે પૂર્વ મંત્રી વી વી વધાસિયા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ.જીવનભાઈ કબરીયા  વિગેરે પટેલ સમાજ ના અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ હતા.

(1:13 pm IST)