Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પત્નીને માવતરેથી પરત ન મોકલતા જેતપુરના ઉમરાળાના ચિરાગ વિરડીયાનો આપઘાત

પ્રેમલગ્ન કર્યા બાદ બન્નેના લગ્ન કરવાનું નકકી કરી યુવતીને માવતરે મોકલાઇ'તીઃ આપઘાત માટે મજબુર કરનાર યુવતીના મામા અને મામી સામે ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૭ :  તાલુકાના ઉમરાળી ગામે રહેતા યુવાને રાજકોટની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી બાદ બન્નેના માવતરે લગ્ન કરી આપવાનું નકકી કરી યુવતીને તેના મામા-મમ્મીએ નહિ પરત મોકલી યુવાનને ગાળો આપતા ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની વિગત એવી છે કે તાલુકાના ઉમરાળી ગામે રહેતા હરસુખભાઇ મેઘજીભાઇ વીરડીયાના પુત્ર ચીરાગભાઇ (ઉ.વ.રર) અને રાજકોટ રહેતા સુરેશભાઇ ભાલાળાની દિકરી કૃપાલીબેન સાથે પ્રેમ સંબંધ હોય બન્નેએ કુંકાવાવ ખાતે લગ્ન કરી લીધેલ બાદ ચીરાગ ભાઇના ઘરે આવતા રહેલ થોડા સમય બાદ કૃપાલીબેનના ભાઇ ધવલનો ફોન આવેલ કે આપણે રાજીખુશીથી બન્નેના લગ્ન કરી આપીએ જેથી સમજાવી કૃપાલીબેનને તેના ભાવતર રાજકોટ મોકલી આપેલ બાદ બન્નેની સગાઇ કરી આપ્યા બાદ કૃપાલીબેનના મામા કે જેઓ ઇશ્વરીયા રહે છે. તે કૃપાલીબેનને ધરાર લઇ જવા માંગતા હોય બાદ બન્નેના છુટાછેડા માટે અવારનવાર ફોન કરેલ. સમાધાન કરવા ચીરાગભાઇ તેના પિતા અને કુટુંબીકભાઇ ત્યાં ગયેલ પરંતુ કૃપાલીબેનના મામા અને મમ્મીએ ચીરાગ ભાઇને ગાળો આપેલ જેથી તેને લાગી આવતા ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવાથી વાડીએ જતા રહેલા ત્યાંથી તેને સારવાર માટે ગોંડલ ખસેડેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા ચીરાગભાઇના પિતા, હરસુખભાઇ વિરડીયાની ફરીયાદ પરથી તાલુકા પોલીસે કૃપાલીબેનના મામા અને મમ્મી વિરૂધ્ધ આઇપીસી ૩૦૬, પ૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)