Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જામનગરનાં ૭ વર્ષના કેવીન ચરાડવાની હિન્દી સિરીયલમાં પસંદગી

ગોંડલ, તા. ર૭ : જામનગર શહેરના ૭ વર્ષના  કેવીન ચરાડવા  ને હિન્દી સિરિયલમાં પસંદ કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં રહેતા સોની સમાજના બાળ અભિનેતા, ૭ વર્ષના  કેવીન ચરાડવા  જે રૂપલબેન (રાધિકાબેન) ચરાડવા અને કૌશલ ભાઈ ચરાડવા ના પુત્ર છે,

તેમની પસંદગી  સ્ટાર ભારત ની સિરિયલ  હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી માં  બલરામ ના રોલ માં થઈ છે.

  કેવીન ચરાડવા એ અત્યાર સુધીમાં ૩૫ થી વધુ મેડલ-ટ્રોફી અને ૭૫ થી વધુ પ્રમાણપત્રો જીત્યા છે. હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી  આ સીરીયલ  ૧૯ ઓકટોબર  થી  રાત્રે ૯.૩૦  વાગ્યે  સ્ટાર ભારત  ચેનલ પર ટેલિકાસ્ટ થવાની છે.(તસ્વીર ભાવેશ ભોજાણી, ગોંડલ)

(12:30 pm IST)