Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં હળવદની શાળા નંબર-૪ ના બે બાળકોએ મેદાન માર્યું.

મોરબી :  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. જેમાં સમગ્ર મોરબી જિલ્લાના પાંચ તાલુકાના વિજેતા બાળકોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત કુલ ચાર સ્પર્ધાઓ ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા અને કાવ્યગાન સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં શ્રી પે સે.શાળા નંબર-૪ હળવદની ધોરણ-૮ ની બાળા પઢીયાર મીનલબા ઇન્દ્રવીજયસિંહે નિબંધ લેખન સ્પર્ધામાં અને રાઠોડ ગૌરવ રમેશભાઈએ “ઝવેરચંદ મેઘાણી” રચિત કાવ્યગાન સ્પર્ધામાં સમગ્ર મોરબી જિલ્લામાં બંને બાળકોએ પ્રથમ સ્થાન મેળવી હળવદ તાલુકાનું તથા શાળાનું નામ રોશન કર્યું છે શાળા પરિવારે અગામી રાજ્યકક્ષાએ આયોજિત થનાર આ સ્પર્ધામાં પણ નામ રોશન કરે એવા શુભાશિષ સહ અભિનંદન પાઠવ્યા હતા.

(11:47 am IST)