Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કોડીનારમાં સંતાન પ્રાપ્‍તિની વિધીના નામે ડોકટરે દુષ્‍કર્મ આચર્યુ

પાનેતર, લીંબુ સહિતની વસ્‍તુઓ લઇને દવાખાને બોલાવીને આયુર્વેદ ડો. હરી સોલકીએ દુષ્‍કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૨૭ : ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલ આયુર્વેદ ડોકટર વૈદ્યરાજ હરીભાઇ બી. સોલંકીએ મહિલા સાથે સંતાન પ્રાપ્‍તિની વિધીના નામે દુષ્‍કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે. આયુર્વેદિક અને પંચકર્મ ચિકિત્‍સા કેન્‍દ્ર ધરાવતા ડોકટર હરી સોલંકી સામે ગુન્‍હો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની કોડીનાર પોલિસ સ્‍ટેસનમાંથી મળતી વિગત મુજબ તાલુકાના છારાᅠગામે રહેતી પરણિતાના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. પણ બાળક ન થતાં કોડીનાર શહેરમાં અલગ અલગ ડોક્‍ટરને બતાવેલ પરંતુ કોઈ પરિણામ આવેલ નહીં કોઈએ તેમના સાસુને જણાવેલ કે કોડીનારમાં વિશ્વાસ ગાડાવાળા પાસે ડોક્‍ટર હરિભાઈ સોલંકીનુ દવાખાનું છે.
જેની સારવારથી બાળક થશે તેથી પરિણીતા અને તેના સાસુ ૧૮ દિવસ પહેલા ડોક્‍ટર હરિ સોલંકી પાસે ગયા હતા ત્‍યારે મને તપાસી ૧૦ દિવસની દવા આપેલ દવા પુરી થતા અમે ફરી ડોક્‍ટર પાસે ગયા મને તપાસી અને જણાવેલ કે તમને કોઈકે ટુચકો કર્યો છે એટલે તમને બાળક થતું નથી મને ૮ દિવસ પછી પાનેતર, લીંબુ, બીજી વસ્‍તુ લઇને આવશો ત્‍યારે તેનું નીવારણ કરી દઈશ જેથી હું અને મારા સાસુ ગઈકાલે બપોરના બધી વસ્‍તુ લય ડોક્‍ટર પાસે ગયા મારા સાસુને બાર બેસાડીને મને અંદરના રૂમમાં લય ગયેલ અને મને જણાવેલ કે તમે કપડાં કાઢીને આ પાનેતર પહેરી લો મારેᅠ વિધિ કરવી છે એટલે મે પાનેતર પહેરેલ તેણે મને કમરે દોરો બાંધીને કોઈ વિધિ કરતા હતા ત્‍યાર બાદ મને કાગળના પડીકા આપીને જણાવેલ આને નદીમાં પધરાવી દેશો. મારી ઉપર દુષ્‍કર્મ આચર્યુ હતું.
દવાખાનેથી અમો મારા પરિવારને ફોન કરીને પાણી ઝાંપે બોલાવ્‍યા ત્‍યારે હું રડી પડતા મારા સાસુ અને મારા પરિવારના સભ્‍ય આવેલ જેને ઉપરોક્‍ત હકીકત જણાવેલ જેથી અમારા સમાજના આગેવાનોને વાત કરી હતી ત્‍યારબાદ અમોએ કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં ડોક્‍ટર હરિ સોલંકી સામે દુષ્‍કર્મની ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવની તપાસ પી. આઈ.એસ. એમᅠ ચુડાસમાના માર્ગદર્શન હેઠળᅠ પી.એસ. આઈ. ડાંગર ચલાવી રહ્યા છે.

 

(11:28 am IST)