Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મારે શું! ફિલ્‍મ દરેક ગુજરાતીઓએ અવશ્‍ય જોવી જોઇએઃ જુનાગઢના સુખમરામદાસબાપુ

સિનેમા દિવસની ઉજવણી વખતે પ્રિમીયર શો યોજાયો! : સેવાકીય કાર્યો પાછળ મલીન ઇરાદાઓને ખુલ્લા પાડતી હકિકત ઉજાગર કરી છેઃ નિર્માતા વિક્રમ ચૌહાણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭ :.. ગત શુક્રવારે સમગ્ર સિનેમા જગતે સિનેમા દિવસની ઉજવણી કરી હતી ત્‍યારે અમદાવાદ એસ. જી. રોડ પર આવેલા પીવીઆર સિનેમા ખાતે ગુજરાતી ફિલ્‍મ મારે શું ! નો પ્રિમીયર શો યોજાયો હતો. આ ફિલ્‍મ નિહાળ્‍યા બાદ ખાખી મઢીનાં મહંત સુખરામદાસજીબાપુએ દરેક ગુજરાતીઓને આ ફિલ્‍મ અવશ્‍ય જોવા અનુરોધ કર્યો હતો.

અમદાવાદ એસ. જી. હાઇવે પર થલતેજ ક્રોસ રોડ ખાતે ગત તા. ર૩ ને શુક્રવારે સિનેમા દિવસની ઉજવણી વખતે રાજકોટનાં યુવા ડીરેકટર વિક્રમ અને ચૌહાણ દ્વારા તૈયાર થયેલી મારે શું ! ગુજરાતી ફિલ્‍મનો પ્રિમીયર શો યોજાયો ત્‍યારે અમદાવાદ રાજકોટનાં ગુજરાતી સિને જગતનાં ટોચનાં કલાકારો અને કસબીઓ અને ગુજરાતી ફિલ્‍મને ચાહનારા પ્રેક્ષકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.

પ્રિમીયર શો શરૂ થાય તે પૂર્વે પત્રકારોને માટે શું ! ફિલ્‍મની માહિતી આપતા નિર્માતા - નિર્દેષક વિક્રમ ચૌહાણે કહયું કે, પોતાનાં મલિન ઇરાદાઓ પાર પાડવા માંગે છે. તેને ખુલ્લા પાડવા આ ફિલ્‍મની કથાનો મુખ્‍ય ઉદેશ છે.

મારે શું ! ફિલ્‍મમાં કે. કે. શેઠનાં પાત્રમાં ુગુજરાતી ફિલ્‍મો-સિરીયલમાં વર્ષોથી અભિયન કરતા મોટા ગજાનાં કલાકાર ભરત ઠકકરે પાત્રને પુરતો ન્‍યાય આપવા કોશીષ કરી છે. ફિલ્‍મના હીરો તરીકે ધવન મેવાડા અને અભિનેત્રી તરીકે ખુશ્‍બુ પટેલે જયારે સપોર્ટીંગ રોલમાં જગપાલ ભરાડે દમદાર અભિનય કર્યો છે. ફિલ્‍મના પ્રમોશન  બાદ ખાખી મઢીનાં મહંત સુખરામદાસબાપુએ નિર્માતા - નિર્દેશક વિક્રમ ચૌહાણ અને કલાકારોને આશિર્વાદ પાઠવી નવતર વિષયો પર ફિલ્‍મની માવજત કરી રજૂ કરવા બદલ શુભેચ્‍છાઓ પાઠવી હતી. જુનાગઢ સુરજ સિનેમા ઉપરાંત રાજકોટ, વાપી, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં મારે શું ! ફિલ્‍મ નિહાળવા દર્શકો બહોળી સંખ્‍યામાં આવતા હોવાનાં અહેવાલો મળે છે....!

(1:48 pm IST)