Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નયારા એનર્જી દ્વારા માર્ગ સુરક્ષા ક્ષમતા નિર્માણ તાલિમ કાર્યક્રમ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : આંતરરાષ્ટ્રીય સ્‍તરની ડાઉનસ્‍ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્‍સ કંપની નયારા એનર્જી દ્વારા તેના આંતરિક અને બાહ્ય હિતધારકો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસીય માર્ગ સુરક્ષા ક્ષમતા નિર્માણ તાલિમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તાલીમ કાર્યક્રમ દરમિયાન વર્કશોપ અને સેમિનાર યોજવામાં આવ્‍યા હતા. જેમાં પોલીસ અધિકારીઓ, સરકારી અધિકારીઓ, નયારા કર્મચારીઓ અને સ્‍ટાફ માટે માર્ગ સલામતી, તપાસ અને જીવન બચાવવા માટેની તકનીકોના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.

માર્ગ સુરક્ષા અને માર્ગ ઇજનેરીમાં વિશેષતા ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્‍થા મેસર્સ એ.કે. કન્‍સ્‍ટ્રક્‍શન મેન્‍યુફેક્‍ચર્સ પ્રા. લિ. (એ.કે.સી.એમ.)ના સહયોગથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માર્ગ સલામતી ક્ષમતાને મજબૂત કરવાના હેતુની આ પહેલમાં સરકારી અધિકારીઓ અને નયારા અધિકારીઓ સહિત ૫૦૦ થી વધુ લોકોની ભાગીદારી જોવા મળી હતી. સેમિનાર અને વર્કશોપના માધ્‍યમથી કાર્યક્રમમાં જોડાયેલા લોકોને શ્રેષ્ઠ માર્ગ સલામતી પ્રથા, દુર્ઘટનાની તપાસ, ગુડ સમરિટન લો, મોટર વ્‍હીકલ એક્‍ટ વગેરે માહિતી અપાઈ હતી. સૌથી મહત્‍વપૂર્ણ રૂપી જીવન બચાવવાની તકનીકોથી સંબંધિત વ્‍યવહારુ અનુપ્રયોગ અને એ ઉપરાંત ઘણું બધું શીખવવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાનપદે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડે (આઇપીએસ), અતિથિ વિશેષપદે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટરશ્રી સંજય યાદવ, તેમની સાથે પૂર્વ સીજીએમશ્રી અતુલ કુમાર, ખડગપુર આઇઆઇટીના પ્રોફેસર ભાર્ગબ મૈત્રા, ટીઆઈઈટીના ડો. તનુજ ચોપરા, સીનિયર ટ્રાન્‍સપોર્ટેશન એક્‍સપર્ટ ડો. પી. કે. સરકાર સહિતની પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓની સહભાગિતા જોવા મળી હતી.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાના સિનિયર અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ, આરટીઓ, ટ્રાફિક, માર્ગ અને સુરક્ષા, એકેસીએમ અને મુસ્‍કાન ફાઉન્‍ડેશનના અધિકારીઓએ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

નયારા એનર્જી લિમિટેડના રિફાઇનરી ડિરેક્‍ટર અને હેડશ્રી પ્રસાદ કે. પનીકરે આ પહેલ અંગે જણાવ્‍યું હતું કે, ‘આપણે અનેકવાર માર્ગ અને તે સંબંધિત પાસાઓ પરના જોખમોનો ઓછો અંદાજ લગાવીએ છીએ. ભારતમાં સૌથી સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ રિફાઇનરીઓ પૈકીની એક હોવાને કારણે નયારા એક ઉચ્‍ચ નૈતિક કંપની છે જે તેની પરિવહન જરૂરિયાતો માટે તમામ સલામતી ધોરણોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્ગ સલામતી પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવાના અમારા પ્રયાસો દ્વારા અમે માર્ગ સલામતી પ્રત્‍યે જવાબદારીની ભાવનાને બહાર લાવવા અને દેશમાં અકસ્‍માતોના દરને ઘટાડવા માગીએ છીએ. આ પહેલને સફળ બનાવવા અને એક મહત્‍વપૂર્ણ પાયાને સંબોધવામાં સહહૃદયથી સમર્થન આપવા માટે હું તમામ પોલીસ અધિકારીઓ, અમારા ભાગીદારો અને અન્‍ય હિતધારકોનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરૂં છું.'

(1:44 pm IST)