Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સુરેન્‍દ્રનગર વઢવાણ સીટ ઉપર નવ ઉમેદવારોએ ટિકિટની માંગણી કરી

વઢવાણ,તા.૨૭ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમો વાગવા લાગ્‍યા છે ત્‍યારે ઉમેદવારો ઉમેદવારી કરવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્‍યારે તાજેતરમાં જ કોંગ્રેસના વિનોદ સિંહા ચાવડા સુરેન્‍દ્રનગર જિલ્લાની મુલાકાતે આવ્‍યા હતા ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રમુખ રૈયા ભાઈ રાઠોડની આગેવાની હેઠળ વઢવાણ વિધાનસભા ઉપર કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ૯ જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર અને બાયોડેટા આપવામાં આવ્‍યા હતા.  સુરેન્‍દ્રનગર શહેરમાંથી ક્ષત્રિય સમાજમાં જ્‍યારે જામ પરિવારની એક આગવી ઓળખ બની છે ત્‍યારે તેમના પરિવારમાંથી જયદીપસિંહ આર પરમાર જામ દ્વારા પણ વિધાનસભા ઉમેદવારી તરીકે ટિકિટની માંગણી કરવામાં આવતા જિલ્લા કારોબારી દ્વારા આ પ્રસ્‍તાવ સર્વેની મંજૂરીથી સ્‍વીકારવા માં આવ્‍યો હતો અને જ્‍યારે યુવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી અને યુવાનને પ્રાધાન્‍યતા મળે તેવા પ્રયાસો કરવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી.

(11:50 am IST)