Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મોરબીના રામમહેલ મંદિર ખાતે સંસ્થાઓના સહયોગથી વિધવા બહેનોને રાશન કીટ વિતરણ.

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગાસ્વરૂપ સહાય પ્રોજેક્ટ હેઠળ ૧૫૦ વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કરાયું

મોરબી :  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગાસ્વરૂપ સહાય પ્રોજેક્ટ હેઠળ ૧૫૦ વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ શહેરના દરબાર ગઢ ખાતે આવેલ રામમહેલ મંદિર ખાતે યોજાયો હતો

જે પ્રસંગે સંસ્થા પ્રમુખ ડો. પ્રેયસ પંડયા, સેક્રેટરી દિનેશ વિડજા, પોજેકટ ચેરમેન કુતુબ ગોરૈયા,
વીરેન્દ્ર પાટડીયા, કે.પી.ભાગીયા, રમણીક ચંડીભમમર, વિપુલ પટેલ, દીપક મારવણયા, મનીષ પારેખ, કુશલ પટેલ, ખજાનચી જયદીપ બારા તેમજ સચિન કોટેચા, રવીન્દ્ર ભટ્ટ, મિતુલ કોટક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત દર માસના છેલ્લા રવિવારે કીટ વિતરણ કરાય છે.

(10:15 pm IST)