Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વાંકાનેરમાં પતાળીયાથી સ્ટેચ્યુ સુધીનો રોડ ૧૫ દિવસમા તૂટી ગયો - ખાડા પડયા

વાંકાનેર તા.૨૭: વાંકાનેર રાજકોટ રોડ પરના નવા બનેલા પતાળીયા પુલનું કામ અંતે બે વર્ષે પુરૂ થતાં પતાળીયા થી રાજકોટ રોડ સ્ટેચ્યુ સુધીનો ડામર રોડ બની ગયા બાદ ૧૫ દિવસમાંજ તૂટી ગયેલ ખાડા પડી ગયેલ છે.

જેમાં ભ્રષ્ટાચારની બૂ હોય તેવું જાણવા મળે છે. જયારે પતાળીયાથી દાણાપીઠ ચોક માત્ર અઢાર ફુટ પહોળાઇનો જ રોડ બનતા વાહન ચાલકો અને લોકો આ સ્ટેટ હાઇવે થી જોડાતા આ રોડથી ત્રાસ પોકારી ગયા છે.

આ રોડ પર રાજકોટ વાંકાનેરનો વાહન વ્યવહાર પુરજોશમાં શરૂ થયો છે. અને રાજકોટ થી વાંકાનેર આવતી તમામ એસ.ટી.બસો આ રોડ પર શરૂ થતા પોલીસે ટ્રાફિક અંગેની વ્યવસ્થા જાળવવા અંગે લોક માંગણી ઉઠી છે.

(11:48 am IST)