Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

૩-૩ નંદી અને એક ગાય ખંભાળીયા-જામનગર રેલ્વે ટ્રેક ઉપર કપાઇ જતા ભારે અરેરાટી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ જામનગર-ખંભાળીયા રેલ્વે ટ્રેક પર ગઇકાલે બપોરે કાનાલુસથી લાખાબાવળ રેલ્વે ટ્રેક પર આમટા નજીકના વિસ્‍તારમાં ટ્રેઇન હડફેટે ત્‍યાં ઘાસ ચરતા નંદી તથા ગાય હડફેટે આવતા કરૂણ ઘટના બની હતી જેમાં સ્થળ પર ત્રણ નંદી અને અેક ગાયનું મોત નિપજ્યુ હતું.

ટ્રેઇન હડફેટે ત્રણેક ગાયને ગંભીર ઇજા થી હતી. બનાવની જાણ થતા જામનગર ગૌસેવાભાવી ધવલભાઇને રાવલ વાહન સાથે ઘટના સ્‍થળ પર પહોંચી ગયા હતા. અેક ગાય ગંભીર હોય મોરબી સારવાર માટે મોકલવા વ્‍યવસ્‍થા કરી હતી.

શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નંદી અને ગાયના મૃત્યુથી હિન્દુ સમાજમાં શોકની લાગણી ફેલાઇ હતી.

(12:27 pm IST)