Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળો રદ

લોકમેળા અંગે અવઢવ બાદ પાલિકા દ્વારા સત્તાવાર જાહેર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭ :  આગામી જન્માષ્ટમી લોકમેળો કોરોના મહામારી ધ્યાને રાખીને રદ કરવામાં આવ્યાનું નગરપા લિકા પ્રમુખ સરજુભાઇ કારિયાએ આજે સવારે જાહેર કર્યુ છે. થોડા સમય પહેલા જન્માષ્ટમી લોકમેળો યોજાશે કે કેમ...? તે અંગે અવઢવ રહેલ અને કોરોનાને કારણે લોકમેળો યોજાશે નહીં તેવી સંભાવના હતી ત્યારબાદ આજે સવારે નગરપાલિકા પ્રમુખ સરજુભાઇ કારિયાએ કોરોના મહામારી અને કોરોનાની ત્રીજી લહેરની સંભાવના હોય ચોપાટી મેદાનમાં નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળો યોજાશે નહીં અને આ મેળો  રદ કર્યાનું જણાવ્યું છે.

(12:59 pm IST)