Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જામનગરનો ૪૯૧ મો સ્થાપના દિવસઃ ખાંભી પૂજન-રાજવીઓની પ્રતિમાઓને ફુલહાર અર્પણ

જામનગરઃજામનગરના ૪૮૧માં સ્થાપના દિવસ નિમિત્ત્।ે દરબાર ગઢ ખાતે આવેલ દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ જામનગરની સ્થાપના ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું. ખાંભી પૂજન બાદ રણમલ તળાવ ખાતે રાજવીઓની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી લાખોટાના નિરના વધામણાં પણ કરાયા હતા.આ પ્રસંગે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા,મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષભાઈ જોશી,દંડક જડીબેન સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી પૂજન કર્યું હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી,તસવીરોઃ કિંજલ કારસરીયા જામનગર)

(1:18 pm IST)