Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મોરબીમાં કારખાનેદારને મરવા મજબુર કરનાર છ વ્યાજખોરોની ધરપકડ

મોરબી,તા.૨૭ : મોરબીના કારખાનેદારના આપઘાત પ્રકરણમાં છ શખ્સો સામે વ્યાજની ઉઘરાણી કરી કારખાનેદારને મરવા મજબુર કર્યાનો ગુન્હો નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તમામ છ આરોપીને દબોચી લેવાયા છે

શનાળા ગામના રહેવાસી દિલીપભાઈ પાડલીયા નામના કારખાનેદારે આપઘાત કરી હોય જે બનાવ મામલે મૃતકના પત્ની મીતાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પતિને લેથના કારખાનામાં નાણાની જરૂર હોવાથી વ્યાજે રૂપિયા લીધા હોય અને વ્યાજખોરો દ્વારા ઉદ્યરાણી કરવામાં આવતી હોય જેનાથી કંટાળી તેના પતિએ આપઘાત કર્યો હતો જેથી એ ડીવીઝન પોલીસે છ સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી મહેશ્વરસિંહ દ્યનશ્યામસિંહ જાડેજા રહે ખાનપર (નેસડા), વીરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂભા નટુભા જાડેજા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ, નરવીરસિંહ ઉર્ફે નારદિન બાપાલાલ ઝાલા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ, કાસમ આદમ ભટ્ટી રહે મહેન્દ્રપરા શેરી નં ૧૧, ફેસલ ગુલામ હુશેન માડકીયા રહે ગઢની રાંગ વાણંદ શેરી મોરબી અને મુકેશ બચુંભાઈ ડાંગર રહે કોયલી ગામ એમ છ આરોપીની ધરપકડ કરી છે અને તમામ આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે

 શ્રાવણીયો જુગાર રમતા ૪ ઝડપાયા

એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી ગામે જુગાર રમતા જીગ્નેશ જયંતીભાઈ જોગીદાસ, કાનજી રૂગનાથભાઈ મોરડિયા, પ્રફુલ કરશનભાઈ લકુમ એ કિશન કાન્તિલાલ ખરચરિયાને રોકડ રકમ ૭૪૯૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:09 pm IST)