Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પોરબંદરમાં કોરાનાના વધુ પ કેસઃ વાડી પ્લોટમાં મૃત્યુ પછી મહિલાનો કોરાના પોઝીટીવ રીપોર્ટ

પોરબંદર તા.ર૭ : જિલ્લામાં કોરાનાનું સંક્રમણ વધતુ જાય છે. જિલ્લામાં કોરોના પોઝીટીવના વધુ પ કેસ આવ્યા છે. જેમાં એક કેસમાં વાડી પ્લોટમાં રહેતા મહિલાના મૃત્યુ બાદ તેનો કોરાનાનો પોઝીટીવ રીપોર્ટ આવેલ છે. આ મહિલાને શરદી ઉધરસ હોય સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ અને તેનું મૃત્યુ થયેલ હતુ.

ગઇકાલે કોરોનાના ૩૪ કેસનો નેગેટીવ રીપોર્ટ થતાં પ કેસના પોઝીટીવ રીપોર્ટ આવી આ પ પોઝીટીવ કેસમાં દિનેશભાઇ મનસુખભાઇ રામાણી (ઉ.વ.પ૮) સંતોષકુમાર (ઉ.૩૯) રે.બિહાર હાલ પોરબંદર, જયાબેન કેશુભાઇ સાદિયા (ઉ.વ.પપ) રે. કે.કે.નગર તેમજ વિસાવાડા મુળદ્વારકાના નાથાભાઇ સુકાભાઇ(ઉ.વ.૭ર)નો સમાવેશથાય છે. ઉપરાંત વાડી પલોટમાં રહેતા ધીરજબેન મહેન્દ્રભાઇના મૃત્યુ બાદ તેનો પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો. વધુ પ કેસના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે.

(1:08 pm IST)