Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલમાંથી ૧૭ દર્દીને રજા અપાઇ

વઢવાણઃસુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની યાદીમાંઙ્ગ જણાવ્યા પ્રમાણે બિખલબેન ફકીર મોહમદભાઈ, સરીફાબેન અકબરભાઈ, નવીનચંદ્ર પટેલ, પોરસસિંહ ચુડાસમા, જીલુબેન મામાણી, નેહાબેન ધુઆ અને વઢવાણ તાલુકાના વતની વરસંગભાઈ બારડ, સોનલબેન માળી, કાસમભાઈ અલીખાન, માવજીભાઈ મકવાણા તથા લીંબડી તાલુકાના વતની વસંતબેન ગોહિલ અને વિજયભાઈ ગુણવંતરાય તેમજ પાટડી તાલુકાના ભરતભાઈ પ્રજાપતિ અને ઝીંઝુવાડા ગામના વતની રમીલાબેન જોશી, ધ્રાંગધ્રા તાલુકાના વતની મહેન્દ્રભાઈ શાહ, મૂળી તાલુકાના સિધસર ગામના વતની કરસનભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લાના હળવદના વતની મનસુખભાઈ મુજપરાને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ - સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ તમામ દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે. કોવિદ હોસ્પિટલમાંથી દર્દીઓનોને રજા અપાઇ તે તસ્વીરો.

(11:41 am IST)