Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ચોટીલાથી મળેલા ધડની રાજકોટના કબ્રસ્તાનમાં દફન વિધીઃ લાશ કોની તે અંગે રહસ્ય અકબંધ

રાજકોટ તા. ૨૭: થોડા દિવસો પહેલા ચોટીલા પંથકમાંથી એક પુરૂષનું ધડ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. ચોટીલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે મૃતક કોણ તે અંગે કોઇ માહિતી મળી નહોતી. તો માથાનો પણ પત્તો મળ્યો નહોતો. મૃતક શખ્સે શુન્નત શાદી કરાવી હોવાનું તપાસમાં ખુલતાં તે મુસ્લિમ હોવાની શકયતાએ ચોટીલા પોલીસે આ ધડની રાજકોટના કબ્રસ્તાનમાં દફનવિધી કરાવી છે. દફનવિધીની આ કામગીરી સિવિલ હોસ્પિટલના સામાજીક કાર્યકર રમણિકભાઇ પરમારે ચોટીલા પોલીસને સાથે રાખીને કરી હતી. આ ધડ કોનું? માથું કયાં છે? બનાવ હત્યાનો કે બલીનો? તે સહિતના સવાલોનું રહસ્ય અકબંધ રહ્યું છે.

(11:44 am IST)