Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

વિન્ડ ફાર્મની વિજ લાઇન ઉપર

શોક લાગતા જામજોધપુરના ચુર ગામે ૩ રાષ્ટ્રીય પક્ષીના મોત

જામજોધપુર તા. ર૭ :.. તાલુકાના ચુર ગામે રેવન્યુ વિસ્તારમાં પંચમુખી મહાદેવની બાજૂમાં વીન્ડ ફાર્મ કંપનીની ઇલેકટ્રીક લાઇન ઉપર વિજ શોક લાગવાથી મોર  નર-૧ તથા માદા બે ના મૃત્યુ  થયા હતા

આ અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગના આર. એફ. ઓ. પરમાર, વિતપાલવદર, એ સ્થળ પર જઇ ધોરણસરની કાર્યવાહી કરી મોરના મૃતદેહનું પી. એમ. વેટરનીટી ડોકટર પાસે કરાવેલ હતું.

આ અંગેની આગળની ધોરણસરની કાર્યવાહી શ્રીમતી આર. બી. પરસાણા નાયબ વનસંરક્ષક જામનગરની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી છે.

(11:29 am IST)