Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જસદણ પાલિકાના કારોબારી ચેરમેન કોણ?

જસદણ તા. ર૭: જસદણ નગરપાલિકાના આગામી કારોબારી ચેરમેન માટે ભાજપના બે જુથનાં કયાં સભ્યની નિમણુંક કરવામાં આવશે. તે અંગે રાજકીય પંડીતોમાં અનેકવિધ અટકળો ઉઠવા પામી છે.

કારોબારી ચેરમેનને એક વર્ષની મુદત છેલ્લાં દોઢ માસથી પુર્ણ થઇ ગયેલ છે ત્યારે આ પદ લાંબા સમયથી ન હોય એટલે વહીવટી પ્રક્રિયામાં મુશ્કેલીઓ સર્જાય રહી હોવાથી લોબીંગ શરૂ થઇ છે. ભાજપના ર૩ સભ્યો અંકબંધ છે પણ સભ્યોમાં બે જુથ પડી ગયા છે. બન્ને જુથ વચ્ચે ભુતકાળમાં અવાર નવાર ભારે આક્ષેપબાજી લેખિત મૌખિક ફરીયાદ પણ થયેલ છે અને ખરાંખરીના ખેલ વખતે એક અને ગેરહાજર પણ રહે છે. એટલે પ્રજા હજું જયાંની ત્યાં જ છે.આવા માહોલ વચ્ચે તંત્ર અને રાજકીય આગેવાનો કેવી ભુમિકા ભજવી, કારોબારી ચેરમેનને ખુરશી પર બેસાડે છે. આ મહત્વના પદ અંગે નાગરિકોમાં પણ અનેક ચર્ચાઓ થઇ રહી છે.

(11:28 am IST)