Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ભાવનગરનાં ઉદ્યોગપતિ વલ્લભદાસ સવાણીનું અવસાનઃ દેહદાન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા), ભાવનગરઃ ભાવનગરના ઉદ્યોગપતિ સવાણી વલ્લભદાસ જીવાભાઈનું અવસાન થતાં તેમના પરિવાર જનો દ્વારા સ્‍વજનનું ચક્ષુદાન અને દેહદાનનું પુણ્‍ય કાર્ય કર્યું હતું ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા  દેહદાનનો સ્‍વીકાર કરીને ભાવનગર મેડિકલ કોલેજ ખાતે તબીબી પરીક્ષણ અર્થે મોકલી આપેલ છે.        
સ્‍વ.વલ્લભભાઈ સવાણી અનેક સામાજિક સેવાઓ સાથે સંકળાયેલ હતા અને ભાવનગરના સાહસિક ઉદ્યોગકારો પૈકી નામના ધરાવતા હતા તેમણે દસ વર્ષ પહેલાં તેમના મળત્‍યુબાદ ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્‍પ કર્યો હતો. રેડક્રોસ દ્વારા ભાવેણાનું આ ૯૫૬મું દેહદાન સ્‍વીકારવા માં આવ્‍યું હતું. ભાવનગરના અનેક લોકો એવા છે જે પોતાના મળત્‍યુ પહેલા રેડક્રોસ ખાતે આવી ને અથવા કેમ્‍પના માધ્‍યમથી પોતે ચક્ષુદાન અને દેહદાનનો અને હાલમાં અંગદાન માટે સંકલ્‍પ કર્યો હોય છે અને નોંધણી કરાવેલ હોય છે નોંધણી કરનાર ને રેડક્રોસ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે રેડક્રોસ દ્વારા ચક્ષુદાન, દેહદાન,અને અંગદાન જાગૃતિ માટેનું અભિયાન ચલાવવામાં આવે છે અને સ્‍વીકારવામાં પણ આવે છે. રેડક્રોસ દિવનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી સામે , ભાવનગર ખાતે થી સંકલ્‍પપત્ર મેળવી શકાય છે અને સંકલ્‍પ ન પણ કરેલ હોય તો પણ સ્‍વજનના અવસાન સમયે તેમના પરિવારજનોની સંમતિથી ચક્ષુદાન અને દેહદાન કરી શકાય છે જે માટે રેડક્રોસ દ્વારા ૨૪ કલાક સેવા ચાલી રહી છે જેનો સંપર્ક - ૯૪૨૯૪ ૦૬૨૦૨, ૯૮૨૫૫ ૬૬૬૪૨ અને (૦૨૭૮) ૨૪૨૪૭૬૧, ૨૪૩૦૭૦૦ ઉપર સંપર્ક કરી શકાય છે.
એક નવતર અનુક્રમ પ્રમાણે  સ્‍વ.વલ્લભભાઈ સવાણીની પ્રાર્થના સભા તા.૨૭મે શુક્રવારે સવારે ૯ થી ૧૨ કલાક સુધી રોટરી હોલ, ઘોઘાસર્કલ,ભાવનગર ખાતે રાખેલ હોય ત્‍યાં પણ આવનાર લોકો માટે ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્‍પપત્ર ભરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

 

(10:44 am IST)