Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વઢવાણઃ ‘નિર્ધાર' દ્વારા અવસર કાર્યક્રમ

 વિધવા મહિલાઓના સર્વાંગી કલ્‍યાણ માટે વિવિધ સેવા પ્રકલ્‍પો હાથ ધરતી ‘નિર્ધાર' વિધવા મહિલા કલ્‍યાણ કેન્‍દ્ર સુરેન્‍દ્રનગરના ઉપક્રમે તાજેતરમાં અવસર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જરૂરિયાતમંદ ૫૦૦ વિધવા મહિલાઓના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ, અંતર ના અજવાળે વ્‍યક્‍તિ વિશેષ પુસ્‍તકનું વિમોચન, રાજેશ રાવલ શસ્‍ટી પૂરતી સન્‍માન, નિર્ધાર વૈદ્યવ્‍ય વિષેશંક ૨૦૨૨ વિમોચન ડો. કે. એલ. મહેતાના પ્રમુખ સ્‍થાને કરાયું હતું. આ પ્રસંગે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સર્વ શ્રી ભવાનીસિંહ મોરી, ડો પી સી શાહ, વીરેન્‍દ્ર આચાર્ય, ડો. જયોતિન શાહ, ડો. રૂદ્રસિંહ ઝાલા, દેવકરણ આદ્રોજા, પદ્મશ્રી મુક્‍તાબેન ડગલી, પંકજ ડગલી ઉપસ્‍થિત રહ્યા હતા. નિર્ધારના સ્‍થાપક પ્રજ્ઞાચક્ષુ સમાજ સેવક  રાજેશ રાવલનું મહેમાનોના હસ્‍તે શાલ, ફુલહાર, સન્‍માન પત્ર, મોમેન્‍ટોથી અભિવાદન કરાયું હતું. આ કાર્યક્રમમાં શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી વિશાળ સંખ્‍યામાં વિધવા મહિલાઓ તથા તેમના બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મીનાબેન મહેતા, હેમાબેન ત્રિવેદીએ કર્યું હતું. આ કાર્યક્રમનું સફળતા માટે આનંદ રાવલ તથા નિર્ધાર ટિમની બહેનોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની તસ્‍વીર

(10:11 am IST)