Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભાવનગરના બુરહાની ગ્રુપ દ્વારા શહેરના કોરોના યોદ્ઘાઓનું સન્માન

જસદણ,તા.૨૭ :  ભાવનગર દાઉદી વ્હોરા સમાજનું કાર્યશીલ બુરહાની ગ્રુપનાં સભ્યો દ્વારા ભાવનગરમાં પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના વાયરસની મહામારીમાં કામ કરતાં યોદ્ઘાઓનું સન્માન કરી પોતાની યશકલગીમાં એક વધું પીંછું ઉમેર્યુ  હતું. ભાવનગર શહેરમાં કોરોના વાઇરસથી થયેલ લોકડાઉન દરમિયાન સતત અત્યંત કપરો પરિસ્થિતિમાં હસતાં મુખે કામગીરી કરનારા ડી વાય એસ પી મનીષ ઠાકોર, ડી ડી ચૌધરો, પી આઈ રેવર, તેમજ સામાજિક અગ્રણી ડો. અજયસિંહ જાડેજા સહિતના લોકોએ કોરોના વાઇરસની વચ્ચે રાત દિવસ કરૂણાનો વાઇરસ વરસાવી હજ્જારો ભાવેણાવાસીઓને એક ખરાં અર્થમાં મદદરૂપ બન્યાં અને તેની સુવાસ પણ ચોમેર પ્રસરી હતી આ કારણોસર બુરહાની ગ્રુપના સભ્યો ઇસ્માઇલભાઈ ટીનવાળા, મોહંમદભાઈ રંગવાળા, આમીરભાઈ સુવાણ, શબ્બીરભાઈ ઝવેરી, અબુલીભાઈ રંગવાળા, મોહંમદભાઈ ટીનવાળા, અબ્બાસભાઈ રંગવાળા સહિતના સભ્યો સોશ્યલ ડિસ્ટન્સ જાળવી પોલીસબેડામાં તથા સામાજિક સેવાકીય કાર્યમાં અગવું પ્રદાન આપનારાં કોરોના યોદ્ઘાઓનું સન્માન કર્યુ હતું

આ અંગે ઇસ્માઇલભાઈ (મો.૯૩૨૮૦૩૫૨૫૨) એ જણાવ્યું હતુ કે કોરોના વાઇરસને કારણે ભાવનગરમાં અસંખ્ય અને બેનામ માનવતાવાદી ઝરણાં વહી ગયાં એમાંના કેટલાક ઝરણાંના નામ પણ બહાર આવ્યાં વગર લોકોને મદદ કરી છે તેથી અમારાં ગ્રૂપને લાગ્યું કે કોરોના યોદ્ઘાઓનું સન્માન કરવું જોઇએ જ એટલે અમે સોશ્યલ ડિસ્ટરન્સ જાળવી કર્યું છેલ્લે ટીનવાળાએ જણાવ્યું કેજગતની સાથોસાથ ભાવનગરમાં માણસાઈના દિવા પ્રગટ્યા એટલે બે માસ હળવાશથી નીકળી ગયા ત્યારે કોરોના યોદ્ઘાઓને સલામ!

(11:35 am IST)