Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભાવનગરના વાળુકડમાં ધો.૧૦ની પરીક્ષામાં નાપાસ થવાના ભયથી વિદ્યાર્થીનો આપઘાત

ભાવનગર, તા. ર૭ : ભાવનગરના વાળુકડ ગામે ધો. ૧૦માં નાપાસ થવાની બીકે કિશોરે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.  મળતી વિગતો મુજબ વાળુકડ ગામે રહેતાં રવિ નોંધાભાઇ બલીયા ઉ.વ.૧૬એ તેના ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. મૃતક કિશોરે ધો.૧૦ની પરીક્ષા આપી છે અને પરીક્ષામાં નાપાસ થવાની બીકમાં જીવનમાંથી પણ નાસીપાસ થઇ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું છે.

(10:48 am IST)