Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભાવનગરમાં વધુ ૧ કોરોના પોઝીટીવઃ ૯૬ દર્દીઓ રોગમુકત

અત્યાર સુધીમાં ૧૧૯ કેસઃ હજુ ૧૭ દર્દીઓ સારવારમાં: મહામારીએ ૮ લોકોનો ભોગ લીધો છે

ભાવનગર,તા.૨૭: ભાવનગરમાં કોરોનાના કુલ દર્દીઓ સંખ્યા ૧૧૯ને આંબી ગઇ છે. ૧૧૯ પૈકી ૯૬ દર્દીઓ કોરોનામુકત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હવે ૧૭ દર્દીઓ સારવારમાં રહ્યા છે. રાત્રે વધુ એક કેસ નોંધાયો છે.

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૧૯ નોંધાઇ છે જો કે ૯૬ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એટલે કોરોના સામે વિજય મેળવી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. ભાવનગરમાં ૮ દર્દીઓના મોત નિપજ્યાં છે. એટલે હવે ભાવનગરથી સર.ટી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૧૭ની રહેવા પામી છે.

ભાવનગરમાં સર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડો. રોહન સચદેવ (ઉવ.૨૫) અમદાવાદ સીવીલમાં ફરજ બજાવી પરત ભાવનગર આવતાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રાત્રે શહેરનાં નિરમા કોલોનીમાં રહેતા મુદીત નરેશભાઇ પુરાણી (ઉવ.૨૨) અમદાવાદથી ભાવનગર આવ્યા બાદ તેનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. આમ ભાવનગરમાં અમદાવાદ અને અન્ય જીલ્લામાંથી આવેલ લોકોને કારણે પોઝીટીવ દર્દીની સંખ્યા વધતી જાય છે.

(10:48 am IST)