Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

હૃદયની બિમારીથી કંટાળી અમરાપુરના જેરામભાઇ રાઠોડે સ્મશાને જઇ ઝેર પીધું

દવા પીધા બાદ ઘરે આવી પરિવારજનોને જાણ કરી પડી ગયાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૭: વિછીયાના અમરાપુરમાં રહેતાં જેરામભાઇ નાનુભાઇ રાઠોડ (ઉ.વ.૫૫) નામના કોળી પ્રોૈઢે સાંજે ઘરેથી નીકળી જઇ ગામના સ્મશાનમાં જઇ ઝેરી દવા પી લીધા બાદ ઘરે આવી પરિવારજનોને જાણ કરતાં અને બેભાન થઇ પડી જતાં સારવાર માટે વિછીયા, જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જેરામભાઇને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના પરિવારજનોના કહેવા મુજબ જેરામભાઇને ઘણા સમયથી હૃદયની બિમારી છે. આ કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી તે ખુબ કંટાળી ગયા હતાં. સાંજે ઘરેથી નીકળી સ્મશાનમાં જઇ ઉંદર મારવાની દવા પી લીધી હતી અને બાદમાં ઘરે આવીને ઝેર પી લીધાનું કહ્યું હતું. વિછીયા પોલીસ વધુ તપાસ કરે છે.

(10:27 am IST)