Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ખંભાળીયામાં સુરતના મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી અર્પણ :

ખંભાળીયા : સુરતમાં આગ દુર્ઘટનામાં ર૩ ઉપરાંત છાત્રોના મૃત્યુ નિપજતા વાલી મંડળ દ્વારા સદ્ગતની પ્રાર્થના સભા રામ સંકિર્તન મંદિર ખાતે યોજાઇ હતી. દીપ પ્રગટાવીને તથા પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી જેમાં ઇન્દ્રજીતસિંહ પરમાર, મનુભાઇ મોટાણી, અમિતભાઇ જીકલ, મનીસાબેન ત્રિવેદી, હસમુખભાઇ ધોળકીયા, અશોકભાઇ કાનાણી પીંગરીયાભાઇ, દીવુભાઇ સોની, જોશીભાઇ, પાલિકા પ્રમુખ શ્વેતાબેન અમિતભાઇ શુકલ, માણેકભાઇ, પૂનમબેન માડમાના પ્રતિનિધી, ડો. રણમલભાઇ વારોતરીયા વિ. જોડાયા હતાં. (તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા

(1:23 pm IST)