Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જુનાગઢમાં કારખાનામાંથી ૪૫૦ કિલો શીંગદાણાની રીક્ષામાંથી ચોરી

બે મજુર સામે પોલીસ ફરીયાદ

જુનાગઢ તા ૨૭  : જુનાગઢ તાલુકાના સરગવાડા ગામ પાસે આવેલ ધર્મેન્દ્ર મગનલાલ ત્રાંબડીયાના સિધ્ધેશ્વર પ્રોટીન્સ નામના શીંગદાણાના કારખાનામાં કામ કરતા મજુર મહમદ ઉર્ફે ભોલો કાળા અને અમુલ શાહ મહમદ જાકિયા તા. ૨૫ ના રોજ કારખાનામાંથી રૂા ૩૧૫૦૦/- ની કિંમતના ૪૫૦ કીલો સીંગદાણાની ચોરી કરીને બંને જણા રીક્ષામાં નાસી ગયા હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

વિશેષ તપાસ એ.એસ.આઇ. પી.જે. વાળા ચલાવી રહ્યા છે.

(1:16 pm IST)