Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નવાગામની શ્રી બાલકૃષ્ણ વિદ્યાલયનું ધોરણ ૧૦નું ઝળહળતુ પરિણામ

નવાગામ : કાલાવડ તાલુકાના નવાગામ ગામે આવેલી શ્રી વૃંદાવન અને શ્રી ગાયત્રી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી બાલકૃષ્ણ વિદ્યાલય જેમણે તાજેતરમાં લેનારી માર્ચ ર૦૧૯માં ધો. ૧૦ પરિણામ જાહેર થયું. તેમાં શ્રી બાલકૃષ્ણ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓ (૧) પાગડાર કુષાલ એમ. ૯૮.૩પ પીઆર સાથે સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. (ર) ઠુંમર દીપ ડી. ૯૭.૧૧ પીઆર સાથે સ્કૂલમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. (૩) અકબરી નીધિ એમ. ૯૬.૪૭ પીઆર સાથે સ્કૂલમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. (૪) હિંગોરજા હિના આર. ૯૩.૬૬ પીઆર સાથે સ્કૂલમાં ચોથા પ્રાપ્ત કરેલ છે. (પ) સમા ફિયાઝ ટી. ૮૮.૮૦ પીઆર સાથે સ્કૂલમાં પાંચમાં આવેલ છે. (૬) પાગડાર હેપીલ એચ. ૮૮.૪પ પીઆર સાથે સ્કૂલમાં છઠ્ઠા પ્રાપ્ત કરેલ છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ મિત્રો તથા શાળા સંચાલક શ્રી પરેશભાઇ જી. પાગડાર તથા તેમના પુરા સ્ટાફને નવાગામના યુવા પ્રેસ પ્રતિનિધી શ્રી હર્ષલ એન. ખંધેડીયાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. તેવું શાળા સંચાલકની યાદીમાં જણાવેલ છે.

(12:10 pm IST)