Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જુનાગઢના મેર સગર્ભા શાંતિબેન કારાવદરાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૭: જુનાગઢ લીરબાઇપરામાં રહેતાં શાંતિબેન કેશુભાઇ કારાવદરા (ઉ.૨૯) નામના મેર સગર્ભાનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

લીરબાઇપરામાં રહેતાં શાંતિબેનને હાલમાં સારા દિવસો જઇ રહ્યા હતાં અને પેટમાં છ માસનો ગર્ભ હતો. ગત સાંજે તબિયત બગડતાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી બેભાન હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેણીએ મોડી રાત્રે દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મૃતકના માવતર જામજોધપુરના અમરાપરમાં રહે છે. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. છ વર્ષની એક દિકરી છે. પતિ કેશુભાઇ ભીમાભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. મોતનું કારણ જાણવા પોલીસ ે પોસ્ટ મોર્ટમ ીરપોર્ટની રાહ જોઇ રહી છે.

(12:08 pm IST)