Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ઉના દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરૂકુળ કુમાર કન્યા વિદ્યાલયનું ૧૦૦% પરીણામ

ઉના તા. ર૭ :.. એસજીવીપી ની શાખા શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ કન્યા કુમાર વિદ્યાલય દ્રોણેશ્વરનું માર્ચ ર૦૧૯ માં લેવાયેલી એચ. એસ. સી. ની પરીક્ષામાં ૩૦ વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે.

સંસ્થાના અધ્યક્ષ પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સંચાલકોની મહેનતનું આ જવલંત પરિણામ છે. ઉત્તમ પરિણામ બાદ સંતો તથા શાળાના આચાર્ય મહેશભાઇ જોષીએ વિદ્યાર્થીઓના મોં મિઠા  કરાવી પ્રોત્સાહન  આપ્યું હતું.

સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ કહયું હતું કે શ્રીહરિની કૃપા, સંતો, માતા-પિતાના આશીર્વાદ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પરિશ્રમથી આ પરિણામ અમે પ્રાપ્ત કરી શકયા છીએ. સંસ્થાનો આભાર માન્યો હતો.

(12:07 pm IST)