Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોરોનામાંથી મુકિત આપોઃ વેરાવળમાં હનુમાનદાદાને પ્રાર્થના

મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો રદઃ સાદાઇથી ઉજવણીઃ ઘરે બેઠા જ પૂજન-અર્ચન

રાજકોટ તા. ર૭ : 'કોરોના મહામારીથી મુકિત આપો' ની પ્રાર્થના સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઇ રહી છે.

વેરાવળ

વેરાવળ-પ્રભાસ પાટણ :.. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી હનુમાન જન્મોત્સ્વના દિને હાલની વૈશ્વિક મહામારીના નિવારણ અર્થે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે પ દિવસનો અખંડ  અમૃત સંજીવની મહામૃત્યુંજય જપ-યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. પ દિવસ સુધી ચાલનાર આ યજ્ઞમાં ર૪ કલાક મહામૃત્યુંજયના મંત્ર-જપ સાથે હોમ કરવામાં આ પ દિવસના યજ્ઞમાં સવાલક્ષ મહામૃત્યુંજય જપ-યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવશે. આપ પણ ઘરે બેઠા મહામૃત્યુંજયના જપ કરી આ ભગવત કાર્યમાં જોડાઇ શકશો. વિશેષમાં શ્રી હનુમાન જન્મોત્સ્વ નિમિતે સાંજના ૪ વાગ્યે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડ પાઠ સોશ્યલ મીડીયા ફેસબુક, યુ-ટયુબ મારફત જોડાઇ શકશો.

(1:13 pm IST)