Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

પોરબંદરમાં કોવિડ હોસ્પિટલ માટે મકાન સુવિધા વિનામુલ્યે આપવા તૈયાર છુઃ અર્જુનભાઇ મોઢવાડીયા

કોવિડ હોસ્પિટલના તમામ બેડ ફુલ થઇ ગયાના બોર્ડથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યમાં રોષઃ મુખ્યમંત્રીને રજુઆત

(પરેશ પારેખ-સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭ : કોવિડ હોસ્પિટલમાં એકપણ નવા દર્દીઓને દાખલ કરી શકાય તેમ નથી તેવી સુચના દર્શાવતા ભાવસિંહજી જનરલ હોસ્પીટલ દ્વારા બહાર મુકવામાં આવેલા બોર્ડ સામે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ રોષ વ્યકત કરીને જણાવેલ કે કોરાનાના દર્દીઓના સગાઓની વ્યથા સાંભળીને આંખમાં આંસુ આવી જાય છે. કોવિડ હોસ્પિટલ માટે જરૂરી મકાન સુવિધા વિનામુલ્યે આપવા તૈયાર હોવાનું અર્જુનભઇ મોઢવાડીયાએ જણાવેલ  છે.

ભાવસિંહજી હોસ્પીટલમાંથી સુરત મોકલેલા ૧૦વેન્ટીલેટર સહિત કુલ રપ વેન્ટીલેટર આપવા તેમજ આવી કપરી સ્થિતિમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ  ચુપ છે. તેની જાણી અર્જુનભાઇ મોઢવાડીયાએ મુખ્યમંત્રીને કરી છે. પોરબંદરની જનતાને મોતના મુખમાંથી બચાવવા અર્જુનભાઇ મોઢવાડીયાએ માંગણી કરી છે.

(1:11 pm IST)