Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

૧૧ના મૃત્યુ નવા ૧૨૧ કેસ નોંધાયા

વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ૭૦ દર્દીઓ દાખલ ૩પ૦ વેઈટીંગ તા.ર૪ થી દર્દીઓને લેવાનું બંધ કરતી સીવીલ હોસ્પીટલ

ઓકસીજનના અભાવે ખાનગી હોસ્પીટલોમાં ગંભીર સ્થિતી ગમે ત્યારે દર્દીઓ ઉપર આફત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૭: ગીર સોમનાથ જીલ્લા ની સૌથી મોટી હોસ્પીટલ વેરાવળમાં ૭૦ દર્દીઓ દાખલ છે ૩પ૦ વેઈટીગ છે તા.ર૪ થી કોઈપણ દર્દીને સારવાર માટે લેવાયેલ નથી ર૪ કલાક માં ૧૧ ના મૃત્યુ થયા છે ૧ર૧ કેસ નોધાયા છે ઓકસીજન ના અભાવે ખાનગી હોસ્પીટલોમાં ગંભીર સ્થીતી છે ગમે ત્યારે દર્દી ઉપર આફત આવશે જીલ્લા તંત્ર ને રજુઆતો કરવા છતા કોઈ ઉકેલ આવેલ નથી.

ગીર સોમનાથ જીલ્લામાં છ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુબજ મોટી મહામારી ગલ્લીએ ગલ્લીએ પહોચી ગઈ છે તા.ર૪ થી સૌથી મોટી હોસ્પીટલ માં દર્દીઓ ને સારવાર માટે લેવાનું બંધ કરાયેલ છે ઓકસીજન ના અભાવે ૭૦ દર્દીઓની સારવાર થઈ રહેલ છે ૩પ૦ દર્દીઓ વેઈટીગ છે ર૪ કલાકમાં ત્રીવેણી સ્મશાન ઘાટ કબ્રસ્તાન માં ૧૧ ના મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળેલ છે આખા જીલ્લામાં ખુબજ મોટો મૃત્યુ આંક હોવાનું ચર્ચાય રહેલ છે સરકારી ચોપડે મૃત્યુ આંક ૦૦ બતાવવામાં આવી રહેલ છે ખાનગી હોસ્પીટલોમાં ઓકસીજન મળતો ન હોવાથી દર્દીઓના મૃત્યળ્ આંક વધેલ છે ગમે ત્યારે સારવાર લેતા દર્દીઓ મોટી મુશ્કેલી માં મુકાશે આખા જીલ્લામાં ઓકસીજન માટે રજુઆતો થયેલ છે તેમ છતા કોઈ ઉકેલ આવેલ નથી.

(1:06 pm IST)