Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

હજુ નવાનો આંક ૩૦ નજીક જ રહે છે...!!

દેવભૂમિ જિલ્લામાં ૩ર નવા કેસ સામે ૩૦ સાજા થયા

ખંભાળીયા તા. ર૭ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોમાં હજુ નોંધપાત્ર ઘટાડો થયો નથી તથા હજુ રોજ ર૪ કલાકમાં ૩૦ આસપાસનો આંકડો રહે છે. જો કે તે અગાઉ ૪૦ થી પ૦ રોજીંદા નવા કેસો કરતા ઓછો છે.

ગઇકાલે ર૪ કલાકમાં ૩ર નવા કેસો નોંધાયા હતા જેમાં ખંભાળીયામાં ૧૩, કલ્યાણપુરમાં ચાર, દ્વારકામાં આઠ તથા ભાણવડમાં સાત નવા કેસ નોંધાયા છે.

તેની સામે સાજા થયાનું પ્રમાણ પણ વધતા ગઇકાલે એક જ દિવસમાં ૩૦ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા જેમાં ભાણવડના આઠ, દ્વારકાના નવ, કલ્યાણપુરના ૧૧ તથા ખંભાળીયાના બે દર્દીઓ સાજા થયા છે. એકિટવ કેસની સંખ્યા જિલ્લામાં ૪પ૧ ની થઇ છે.

નવા પોઝીટીવ કેસો ખંભાળીયા, દ્વારકા, સલાયા, ગઢકા, હરિપર, ચોખંડા, પટોઠીયા, વેરાડ, ચાંપરણ, બેહ, કાટકોલા, હરીપર વિ. ગામોનો સમાવેશ થાય છે.

(1:04 pm IST)