Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ભાવનગર કોરોનાની લપેટમાં: એક સાથે ૫૩૬ પોઝિટિવ કેસ

જિલ્લામાં નોંધાયેલ ૧૧૫૧૫ પૈકી હાલ ૨૮૦૪ દર્દીઓ સારવારમાં

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭ : ભાવનગર કોરોના ની લપેટમાં આવ્‍યો હોય એમ રેકોર્ડ બ્રેક ૫૩૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૩૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્‍યા ૧૧,૫૧૫ થવા પામી છે.

જેમા ભાવનગર શહેરી વિસ્‍તારમાં ૨૦૫ પુરૂષ અને ૧૫૬સ્ત્રી મળી કુલ ૩૬૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૩૬, ઘોઘા તાલુકામાં ૨૦, તળાજા તાલુકામાં ૨૬, મહુવા તાલુકામાં ૬, વલ્લભીપુર તાલુકામાં ૧૭, ઉમરાળા તાલુકામાં ૨૧, પાલીતાણા તાલુકામાં ૬, સિહોર તાલુકામાં ૨૧, ગારીયાધાર તાલુકામાં ૧૪ તેમજ જેસર તાલુકામાં ૮ કેસ મળી કુલ ૧૭૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્‍તારમા ૧૦૨ અને તાલુકાઓમાં ૭૨ કેસ મળી કુલ ૧૭૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્‍ત થતા તેને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્‍ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્‍વસ્‍થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્‍પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્‍પિટલામાથી ડિસ્‍ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૧,૫૧૫ કેસ પૈકી હાલ ૨,૮૦૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૨૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:12 am IST)