Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

૪૩૬ ઇનામો મેળવનાર સીપીઆઇ રાયધનભાઇ રાઠોડ ૩૦મીએ નિવૃત્ત : ૭૮ શહેરોમાં ફરજ બજાવી

નવાગઢ, તા. ર૭:  સત્તાનો સદ્ઉપયોગ કરવામાં માહિરને હાલ કચ્છના રાયર ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ અદા કરતા રાયઘનભાઇ રાઠોડ તા. ૩૦ ના નિવૃત્ત થઇને તેમની ઝળહળતી કારકિર્દીને બીરદાવવા તેમની ટીમ તથા સાથી મિત્રો એ વિદાય સમારોહ આયોજીત કર્યો છે.

હિંમત, શકિત, સાદય, ધૈર્ય, સિદ્ધ, લાગણી સમા સાત રંગોનો કારકિર્દી દરમિયાન અહેસાસ કરાવનાર રાયઘનભાઇ રાઠોડએ પોતાની પોલીસ કારકિર્દીનો પ્રારંભ તા. રર-૯-૧૯૮૦ના પો. કો. તરીકે કર્યો હતો. ગોંડલ સીટી, મોરબી, ભાયાવદર, લોધીકા, વાંકાનેર, જેતપુરને બાદમાં ટાસ્કફોર્સમાં ફરજ બજાવેલ. ૧૯૯રમાં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યા બાદ જસદણ જેતપુર સીટી, મોરબી, રાજકોટ રૂલર ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેરોમાં ઉત્કર્ષ કામગીરી બાદ પીએસઆઇ તરીકે ગાધીધામ આદીપુર, તાલાલા, પ્રભાસ પાટણ, સોમનાથ મરીન, વેરાવળ, જુનાગઢ ને પી.આઇ.ના પ્રમોશન બાદ ચોકી સોરઠ, એસઓજી ગીર સોમનાથ, ઉના, કોડીનાર, સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર એલ.સી.બી. જુનાગઢ સહિત ૭૮ શહેરોમાં ફરજ બજાવી ચુકેલાને પોતાની સુંદર કામગીરી બદલ સરકાર તરફથી ૪૩૬ જેટલા ઇનામો મેળવી ચુકેલા રાયઘનભાઇ તા. ૩૦ના નિવૃત્તિ લેશેે.

(11:41 am IST)