Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

વઢવાણમાં કોંગ્રેસના ધરણા

વઢવાણ : તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ, સિંચાઇનું પાણી, વિજ પુરવઠો, વ્યાજબી ભાવથી બીયારણ અને પાક વીમો આપવામાં નિષ્ફળ ગયેલ પ્રવર્તમાન સરકાર સામે ખેડુત અગ્રણી મોહનભાઇ પટેલ, વિક્રમ દવે, સુબોધ જોષી, રૂપસંગ સાકરીયા, બી.ટી. વ્યાસ, મહાદેવ દલવાડી, દિલીપ દગડા, સતીષ ગમારા, રણજીત બાકરથડી, દિલીપ વ્યાસ, લાલાભાઇ મોરી તથા તાલુકા કક્ષાએથી ઉપસ્થિત રહેલ ખેડૂત આગેવાનોની હાજરીમાં પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપુતને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. આ પૂર્વે ખેડૂતોએ ધરણા કર્યા હતાં ત્યારની તસ્વીર. (૮.૧૦)

(12:47 pm IST)