Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ખેડૂતોના પ્રશ્ને વિસાવદરમાં કોંગ્રેસ દ્વારા આવેદન

જુનાગઢ, તા. ર૭ : વિસાવદર તાલુકા કોંગ્રેસ આયોજીત ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઇને ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, કરશનભાઇ વાડોદરીયા, નયનભાઇ જોષી, નાનજીભાઇ જોધાણી, વિપુલ પોકીંયાએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

જેમાં પોષણક્ષમના ભાવ આપવા તુવેર ચણાની ખરીદીના તાત્કાલીક સેન્ટર આપી ખરીદી કરો, ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની જવાબદારી મામલતદાર અથવા પ્રાંત અધિકારીને સોંપો મંડળીને નહીં કપાસ તથા મગફળીનો પાક વિમો આપો જેવા અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

ઉપરોકત તસ્વીરમાં આવેદન પાઠવતા હર્ષદભાઇ રીબડીયા સહિત કોંગ્રેસના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:41 pm IST)