Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

માળિયા હાટીનામાં યોજીત ભાગવત સપ્તાહમાં ઉમટતો માનવ મહેરામણઃ રાત્રે ડાયરાના કાર્યક્રમો

માળીયા હાટીના તા.ર૭: અહિંના વિરડી રોડ પરના ગૌશાળાના પટાંગણમાં માળીયા પાંજરાપોળ દ્વારા ગૌમાતાના લાભાર્થે આયોજીત ૧૭ પોથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં દરરોજ ભાવિકો શ્રોતાઓનો પ્રવાહ કથા શ્રવણ માટે વધી રહ્યો છે.

કથાના વ્યાસાસને ભાગવતાચાર્ય કેતનભાઇ ખેરાણી બીરાજી કથામૃતનું રસપાન કરાવી રહ્યા ે.

૧૭૬ પોથી ભાગવત સપ્તાહ કદાચ જિલ્લામાં પ્રથમ વખત જ યોજાઇ રહેલ છે. કથામાં દરરોજ જુદા-જુદા પ્રસંગો વર્ણવાય છે. દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે.

દરરોજ કથાશ્રવણમાં હજારો ભાવિકો કથા સાંભળી ભાવવિભોર થઇ રહ્યા છે. કથા દરમિયાન પાંજરાપોળના ટ્રસ્ટીઓ સુંદર વ્યવસ્થા જાળવી રહ્યા છે. (૧૧.પ)

(11:56 am IST)