Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ગોંડલના રામજી મંદિરે પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના ૧૦૧માં પ્રાગટય દિનની ઉજવણી

ગોંડલ : દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતાં ગોંડલનાં સંત મહામંડલેશ્રર ૧૦૦૮ પુ.ગુરુદેવ હરીચરણદાસજી મહારાજનો ૧૦૧મો પ્રાગટ્‍ય દિન નિમિત્તે સેવકગણ તથાં ભાવિકોમાં અનેરો ઉત્‍સાહ પ્રવતી રહ્યો છે. મંદિરના મહંતશ્રી જયરામદાસજી મહારાજ દ્વારા પુજન, ભકતગણને આર્શિવચન બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. હાલ રામજી મંદીર ખાતે રામચરિત માનસ સમુહ પાઠનું આયોજન ચાલું છે ત્‍યારે આજરોજ પ.પૂ. હરિચરણદાસજી મહારાજના જન્‍મદિવસ નિમિતે મોટી સંખ્‍યામાં ગુરુ ભાઈઓ તથા બહેનોએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.(તસ્‍વીર -અહેવાલઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(3:35 pm IST)