Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત અને 38 પોઝિટિવ કેસ નોંધાયા : 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ભાવનગર શહેરમાં 29 કેસ અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા : અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 6751 થઇ : કુલ 6372 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : કુલ મૃત્યુઆંક 70 થયો : હાલમાં 302 દર્દીઓએ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગરમાં કોરોના થી એક દર્દીનું મોત નિપજ્યું છે અને વધુ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભાવનગરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે .ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૭૫૧ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૯ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે ૨, ઉમરાળા ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપાજ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩ તેમજ સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે તેમજ ભાવનગર શહેર ખાતે રહેતા એક દર્દીનુ આજરોજ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૭ અને તાલુકાઓમાં ૩ કેસ મળી કુલ ૨૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૭૫૧ કેસ પૈકી હાલ ૩૦૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:35 pm IST)