Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જેતપુરમાં છ માસ પહેલા પાણીમાં ડૂબી મૃત્યુ પામેલ રફિકભાઇના પરિવારને ચાર લાખનો ચેક અર્પણ કરતા મંત્રી જયેશભાઇ રાદડિયા

જેતપુરઃ શહેરના દેરડી રોડ પુલ ઉપરથી પસાર થતી વખતે રફિકભાઈ જુનેજા તથા મહિલા પાણીમાં તણાઈ મૃત્યુ પામતા તેના પરિવારને સહાય માટે કલેકટર ને રજૂઆત કરાતા રફીકભાઈના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય મંજુર કરાતા મંત્રી જયેશભાઇ રાદડીયાના પ્રયત્નોથી રાજય સરકારમાં પીડિત પરિવારને રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા મામલતદાર વિજયભાઈ કારિયા, ગ્રામ્ય મામલતદાર ગીનીયા, નગર પાલિકા ઉપપ્રમુખ રાજુભાઇ ઉસદડિયા, સદસ્ય ઉમરભાઇ મુસાણી શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ જોગી મહામંત્રી વિપુલભાઈ સંચાણીયા, બાબુભાઈ ખાચરીયા, મુકેશભાઈ કવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : કેતન ઓઝા -જેતપુર)

(1:14 pm IST)