Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

''કોરોના'' સામે રક્ષણ : સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧ કરોડ અપાશે

મુખ્યમંત્રી રાહત ફંડમાં રકમ અર્પણ કરાશે : કેશુભાઇ પટેલની જાહેરાત

રાજકોટ તા. ર૭ :.. વિશ્વ પ્રસિધ્ધ પ્રથમ જયોર્તિલીંગ શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા 'કોરોના' વાયરસ સામે રક્ષણ આપવા રૂ. ૧ કરોડ આપવાની જાહેરાત ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ 'અકિલા' ને જણાવ્યુ હતું કે, ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઇ પટેલ દ્વારા આ જાહેરાત ગાંધીનગર ખાતેથી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વારંવાર સેવાકાર્યોનો ધમધમાટ કરવામાં આવે છે ત્યારે દેશ ઉપર 'કોરોના' વાયરસે હુમલો કરતા અનેક લોકોને ભારે મુશ્કેલીનો  સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે આવા લોકોની મદદ માટે કેન્દ્ર અને રાજય સરકારની સાથે - સાથે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે પણ ૧ કરોડનું દાન જાહેર કર્યુ છે.

(3:27 pm IST)