Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જખૌ બંદરથી ૧૧૭ લોકો બેડી પોર્ટ આવતા એન્ટ્રી નો અપાઇ : તમામ કોરોનટાઇન કરાયા

મેડીકલ ઓફિસર ડો. પલક ગણાત્રાએ તમામનું ચેકીંગ હાથ ધર્યું

રાજકોટ તા. ૨૭ : ગઇકાલે સાંજે કચ્છના જખૌ બંદરથી જહાજ મારફત ૧૧૭ જેટલા ખલાસીઓ બેડી બંદરે આવી પહોંચતા તંત્રને દોડધામ થઇ પડી હતી.

આ અંગેની જાણ આ વિસ્તારના વિખ્યાત મેડીકલ ઓફિસર ડો. પલક ગણાત્રાને થતા તેઓ મોડી રાત્રે બેડી બંદરે દોડી ગયા હતા અને જામનગરમાં પ્રવેશ અંગે નો એન્ટ્રી કરી, તમામ ૧૧૭ ખલાસીને કોરોનટાઇન કરી તમામનું મેડીકલ ચેકીંગ શરૂ કરી દેવાયું છે.

આ બાબતે તેમણે કલેકટર - મ્યુ. કમિશ્નરને પણ જાણ કરી હતી, જામનગરમાં કોરોનાનો એક પણ કેસ પોઝીટીવ નથી, તંત્ર જોખમ લેવા માંગતુ નથી, તમામને કોરોનટાઇન કરી રહેવા - જમવાની વ્યવસ્થા કરી દેવાઇ છે.

(1:08 pm IST)