Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ભુજના મુસ્લિમ અગ્રણીએ ઉમરાહ માટેના એક લાખ રૂપિયા કોરોનાની સહાય માટે આપ્યા

ભુજ તા. ૨૭ : કોરોના કહેર વચ્ચે માનવધર્મની મહેક પણ અનુભવાઈ રહી છે. ભુજમાં પત્રકારત્વ સાથે સંકળાયેલા કબીર ફાઉન્ડેશનના અહેમદશાહ નવાઝશા સૈયદે પણ એક પ્રેરણાદાયી કાર્ય સાથે માનવધર્મને અગ્રતા આપી છે. તેમણે ઉમરાહની યાત્રા માટે જવાના એક લાખ રૂપિયા કોરોનાની સહાય પેટે વાપરવાનું નક્કી કર્યું છે.

આ રકમમાંથી ગરીબવર્ગને રાશનકીટ તેમ જ ફૂડ પેકેટ બનાવીને આપવામાં આવશે. અહેમદશા સૈયદ દ્વારા માનવધર્મને અપાયેલી અગ્રતાનીઙ્ગ વિવિધ સામાજિક આગેવાનો, પત્રકારો તેમ જ મિત્ર પરિવાર દ્વારા સરાહના કરાઈ છે. કબીર ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સામાજિક પ્રવૃતિઓ તેઓ કરી રહ્યા છે.

(11:54 am IST)