Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જામજોધપુરમા શ્રી રોકડીયા હનુમાન ભકત મંડળ દ્વારા સેવાયજ્ઞ

ધાર્મિક કાર્યક્રમો મુલત્વીઃ ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ફૂડ પેકેટ વિતરણ

રાજકોટઃ જામજોધપુર મુકામે શ્રી રોકડીયા હનુમાન ભકત મંડળ આયોજીત શ્રીમદ્દ ભાગવત કથા તથા શ્રીરામ યજ્ઞ, બટુક ભોજનનો કાર્યક્રમ શ્રી હનુમાન જયંતિના પ્રસંગે સરકારશ્રીના આદેશાનુસાર ''કોરોના''ના કારણે મુલત્વી રાખવામાં આવેલ છે.હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભકત મંડળ સંચાલિત અન્નક્ષેત્ર પણ બંધ રાખેલ  પરંતુ કયાંય ભોજનની વ્યવસ્યા ન થતા ગુરૂવર્ય શ્રી લખુદાદાની પ્રેરણાથી હાલ ફૂડ પેકેટની વ્યવસ્થા શરૂ કરેલ છે. જેથી ગામની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તમામ લોકો માટે તથા નિરાધાર, અભ્યાગત, સાધુઓને આ સંસ્થા દ્વારા ફૂટ પેકેટ વિતરણ કરવામાં આવેલ છે. જેમાં ભકત મંડળના તમામ સભ્યો તથા જલારામ ગ્રુપના સભ્યોની સેવા ફૂટ પેકેટ માટેના વિતરણની તથા બનાવવાની સેવા મળી રહેલ છે.અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને આ સેવા ૧૪ એપ્રિલ સુધી  અવિરત ચાલુ રહેશે. તેમ શ્રી રોકડીયા હનુમાન ભકત મંડળની યાદીમાં જણાવાયું છે.

(11:54 am IST)