Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી રાહતનિધિમાં ૭ાા લાખનો ફાળો ૧ દિ'માં આવ્યો

રાજકોટ, તા.૨૭: કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે નાગરિકો, સેવાભાવિ સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો વગેરેને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અપીલને ધ્યાને લઇ રાજકોટ કલેકટર કચેરી ખાતે ગઇકાલે ૧ દિ'માં કુલ રૂ.૭,૬૪,૭૨૨ની રકમ મુખ્યમંત્રીના રાહતનિધિમાં અર્પણ કરવામાં આવી હતી.

જેમાં લોઠડા-પીપીલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા રૂ.૫,૦૦,૦૦૦, આવકાર સિલ્વર દ્વારા રૂ.૧,૧૧,૧૧૧, મીરામ્બીકા એજયુકેશન ગ્રૃપ દ્વારા રૂ.૧ લાખ, સરગમ ફૂડ દ્વારા રૂ.૫૧,૧૧૧ અને શિરીષ એમ.વાછાણી દ્વારા રૂ.૨૫૦૦ની રકમનો સમાવેશ થાય છે.

(11:47 am IST)