Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ભાવનગરના તબીબ, ઉદ્યોગપતિ સહિત ચાર વ્યકિતના કોરોના રિપોર્ટ નેગેટીવ

ભાવનગર, તા.૨૭: ભાવનગર શહેરમાં એક ડોકટર તથા એક જાણીતા ઉદ્યોગપતિ સહિત ચાર વ્યકિતને કોરોના વાયરસ ના શંકાસ્પદ દર્દી તરીકે સર.ટી હોસ્પીટલમાં દાખલ કરાયેલ.

ભાવનગરના ડોકટર સહિતના ચાર વ્યકિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમનો કોરોના અંગેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ચારેય વ્યકિતઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું. આમ આજે શુક્રવારે સવાર સુધીમાં ભાવનગરની હોસ્પિટલમાં એક પણ પોઝિટિવ કેસ નથી.

(11:47 am IST)