Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દ્વારકામાં બિહારના ૯૫ યાત્રિકોને સનાતન સંસ્થામાં આશરો અપાયો

 દ્વારકા તા.૨૭ : દ્વારકાની યાત્રાઅી આવેલા બિહારના નાલંદા જિલ્લા સહિતના કુલ ૯૫ યાત્રિકો દ્વારકાધીશજીના દર્શનાર્થે આવ્યા હતા. જેઓને ટ્રેઇન રદ થઇ જતા અટકી પડયા છે.

આ યાત્રિકોને સનાતન સેવા મંડળના અધ્યક્ષ સ્વામિ કેશવાનંદજીએ આશરો આપી તેમને રહેવા તથા ભોજન ચા નાસ્તા સહિતની વ્યવસ્થા કરાઇ છે. એક સાથે આ રીતે ૯૫ બિહારીઓને જન સમુદાય દ્વારકા હવે ૨૧ દિવસ સુધી રોકાણ કરશે અત્રે નોંધનીય છે કે સ્વામી કેશવાનંદજી પણ મૂળ બિહારના વતની હોય જેથી યાત્રિકોની ભાષા તથા રહેવાની વ્યવસ્થા તથા ભોજનની જાણકારી હોય યાત્રિકોને વધુ સારી રીતે વ્યવસ્થા જાળવી શકેલ છે.

(11:38 am IST)