Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કુંડળધામ તરફથી રૂ.૨૫ લાખનું દાન સ્વીકારતા નીતિન પટેલ

રાજકોટઃ નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશને લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. ધંધા-રોજગાર બંધ કરીને લોકોને ઘરમાં રહેવાની આગ્રહભરી વિનંતી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે. આવા સમયે જરૂરિયાતમંદોની દવા અને અન્ય સેવા-સુવિધા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોને આગળ આવી સંકટ સમયમાં માનવતાની ભૂમિકા અદા કરવા માટે નમ્ર ભાવે મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન આપવા માટે કરેલ અપીલને સારો પ્રતિસાદ મળ્યો છે.સરકારના માધ્યમથી નાગરિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહતનિધિમાં સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના વડા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા રૂ.૨૫ લાખના દાનનો ચેક નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને અર્પણ કરવામાં આવ્યો છે. સંસ્થાવતી ઘનશ્યામદાસજી સ્વામી (વહાલા સ્વામી) અને અરયુતદારજી સ્વામી (સ્નેહાળુ સ્વામી)એ નાયબ મુખ્યમંત્રીને ચેક અર્પણ કર્યો હતો.

(11:36 am IST)